ગાંધીનગર, ભારત, November 2, 2015 /PRNewswire/ --
ફન્ડ ફૉર યુનિટી એ ભારતનું સર્વપ્રથમ નાગરિક જનભંડોળ મંચ છે, જે જનભંડોળ પૂરું પાડવા સાથે સામુદાયિક વિકાસના પ્રોજેક્ટમાં ભાગ લે છે, આ નાગરિક જનભંડોળ મંચને 31 ઓક્ટોબર, 2015ના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 વાગ્યે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું, જે ગુજરાતના નર્મદા જિલ્લાને પરિકલ્પિત વિકાસ તરફ આગળ દોરી જનારું પગલું છે. મંચને ખુલ્લુ મૂકાયા બાદ આંતરરાષ્ટ્રીય શ્રોતાઓ કે જેમાં મુખ્યત્વે ટેકનોલોજી ક્ષેત્રના વ્યાવસાયિકો હતા તેમની સાથે ગૂગલ હેન્ગઆઉટ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151030/772257 )
ફન્ડ ફૉર યુનિટી એ સ્ટેચ્યૂ ઑફ યુનિટ પ્રોજેક્ટની અંતર્ગત આવરી લેવામાં આવેલી ડિજીટલ પહેલ છે અને તે ગુજરાતના પછાત વિસ્તારના સામાજિક તેમજ ભૌતિક આંતરમાળખાકિય વિકાસના પરિણામસ્વરૂપ HDIના વિકાસ માટે વ્યક્તિગત, જાહેર અને ખાનગી જનકલ્યાણકારી ભંડોળ ઇચ્છે છે. આ મંચ ખૂબ જ સંવાદમય અને પૂર્ણપણે ઓનલાઇન ક્રિયાશીલ સંપત્તિ છે, જે અનેકવિધ પ્રોજેક્ટ માટે અનુદાન સંચયનના અભિયાનની મેજબાની કરી શકે તેમ છે. તે એક સુરક્ષિત, સામાજિક રીતે જોડાયેલ, પ્રારંભથી અંત સુધીનો યુઝર એક્સપિરિયન્સ પૂરો પાડે છે, જ્યાં સક્ષમ અંશદાતા સૂચિબદ્ધ પ્રોજેક્ટ વિશે જાણકારી મેળવી શકે છે, તેના વિશિષ્ટ મૂલ્યોની દરખાસ્તો સમજી શકે છે અને પોતાની પસંદગીના પ્રોજેક્ટ માટે ભારતીય ચલણમાં સુરક્ષિત ઇન્ટીગ્રેટેડ પેમેન્ટ ગેટવે મારફતે ભંડોળમાં પોતાનું યોગદાન આપી શકે છે. આ મંચ માટે આપવામાં આવેલું અનુદાન ભારત સરકારના આવકવેરા નિયમની કલમ 80(G) હેઠળ 50% કરમુક્ત ગણાશે.
ફન્ડ ફૉર યુનિટી માટે સૂચિબદ્ધ થયેલા તમામ પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત થયેલ કંપનીઓની પહેલ અને તેમના દ્વારા સંચાલિત છે. આ મંચ દ્વારા સમાજના દરેક તબક્કાના લોકો તેમને મહત્વના લાગતા કોઈપણ પ્રોજેક્ટ માટે અનુદાન આપી શકે છે અને તેમના સમુદાય કે જેના માટે તેઓ ચિંતિત છે, તેમનું જીવનધોરણ સુધારવા તેઓ સરકાર સાથે ભેગા મળી કામ કરી શકે છે.
ફન્ડ ફૉર યુનિટીમાં રજિસ્ટર થઈ યુઝર્સ તેમના અંગત ડેશબોર્ડ પર તેમણે સપોર્ટ કરેલા પ્રોજેક્ટ્સના અમલની અસરકારક્તા અને વ્યાપ અંગેની આંકડાકિય વિગતો જોઈ શકે છે. તમામ પ્રોજેક્ટ્સના અમલ અંગેની અદ્યતન માહિતી નિયમિતપણે તેની પર રજૂ કરી અંશદાતાઓ પરત્વેનું પૂર્ણ ઉત્તરદાયિત્ત્વ સુનિશ્ચિત કરવામાં આવે છે.
http://www.fundforunity.in આ વેબસાઇટ મારફતે ફન્ડ ફૉર યુનિટી સુધી પહોંચી શકાય છે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશેઃ
સ્ટેચ્યૂ ઑફ યુનિટી એ ભારતીય ગણરાજ્યના સ્થાપકોમાંના એક એવા આર્ષદ્રષ્ટા નેતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે, જે હાલમાં ભારતના રાજ્ય ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સરદાર સરોવર ડેમ ખાતે બંધાઈ રહી છે. આ પ્રોજેક્ટ વિશેની વધુ માહિતી http://www.statueofunity.in અને http://www.facebook.com/sou.official પરથી મેળવી શકાશે.
મીડિયા સંપર્કઃ
શ્રી કે. શ્રીનિવાસ
[email protected]
079-23252735
Share this article