મુંબઈ, October 21, 2015 /PRNewswire/ --
ભારત સરકારની વડાપ્રધાન કચેરીના અણુઊર્જા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જિતેન્દ્ર સિંઘે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું
UBM ઈન્ડિયા દ્વારા સત્કાર કરવામાં આવેલા વાર્ષિક અણુ કાર્યક્રમ - ઈન્ડિયા ન્યુક્લિઅર એનર્જી 2015 (15-16 ઓક્ટોબર)નું મુંબઈમાં સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ન્યુક્લિઅર એનર્જી 2015, ભારતના પ્રમુખ અને એક માત્ર અગ્રણી નાગરિક અણુઊર્જા કાર્યક્રમને ભારતમાં વ્યાપક સ્તરે સંગઠનો અને ઉદ્યોગ દ્વારા વીજ ઉદ્યોગના સંકલિત ભાગ તરીકે જોવામાં આવે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151020/10132923 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20151007/10132073 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ઈન્ડિયા ન્યુક્લિઅર એનર્જી 2015નું ઉદઘાટનનું પ્રતિનિધિત્ત્વ મુખ્ય અતિથિ ભારત સરકારની વડાપ્રધાન કચેરીના અણુઊર્જાના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જિતેન્દ્ર સિંઘ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ જેવા કે અણુઊર્જા આયોગના ચેરમેન ડો. આર. કે. સિન્હા, અણુઊર્જા વિભાગના જાહેર જાગૃત્તિ વિભાગના વડા શ્રી એસ. કે. મલ્હોત્રા, રિપબ્લિક ઓફ ઈન્ડિયામાં રશિયન ફેડરેશનના રાજદુતાવાસના પ્રથમ સચિવ (રાજકીય) શ્રીમતી નાતાલિયા કુદ્રીયાશોવા, ફ્રાંસ સરકારના કોન્સ્યુઅલ જનરલ શ્રી ય્વેસ પેરિન, ન્યુક્લિઅર એનર્જી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના અણુઊર્જા વિભાગના અણુઊર્જા ટેકનોલોજી વિકાસના વિભાગ વડા શ્રી સ્ટેફનો મોન્ટી, અણુઊર્જા વિભાગના સંરક્ષણ, સલામતિ અને સુરક્ષા વિભાગના ઉત્કૃષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી સુરેશ ગંગોત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારત સરકારની વડાપ્રધાન કચેરીના અણુઊર્જા વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન ડો. જિતેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે ભારત માત્ર અણુઊર્જામાં ઘણે ખરે અંશે વિકાસ જ નથી પામ્યો, પરંતુ અણુઊર્જા કાર્યક્રમમાં અન્ય રાષ્ટ્રોમાં આગેવાની લેતી વખતે અણુઊર્જાનાં શાંતિપૂર્વકનાં વપરાશની શોધ અંગેની વચનબદ્ધત્તા પાળવામાં સફળ રહ્યો છે.
UBM ઈન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે "પાછલા દાયકાથી પણ વધુ સમયથી ઊર્જા સુરક્ષા અને ઊર્જા ઉત્પાદનની દૃષ્ટિએ ધ્યાન વધી રહ્યું છે, જેમાં અણુઊર્જા ભાગ ભજવી શકે છે. અશ્મિભૂત ઈંધણના વપરાશને લીધે વાતાવરણ પર વિનાશકારી અસર, તેમની ખૂટી જવાની શક્યતા અને આર્થિક વૃદ્ધિને હાંસલ કરવા માટે ઝઝુમી રહેલા વિશ્વની ઝડપતી વધી રહેલી ઊર્જાની જરૂરિયાત પૂરી કરી શકે એવા અન્ય કોઇ વિકલ્પના અભાવે અણુઊર્જાના વપરાશની નીતિને વેગ આપ્યો છે. ભારતે પણ આવો જ નિર્ણય લીધો છે."
કેનેડા, રશિયા અને ફ્રાન્સ સહિતના જુદા જુદા દેશોમાંથી આવેલા 70 કરતા પણ વધુ પ્રદર્શનકર્તાએ નાગરિક અણુઊર્જા માટે ઉદ્યોગના સપ્લાયર્સના નવીનીકરણ, સિસ્ટમ ઓપ્ટિમાઇઝેશન્સ, જાણવણી અને સ્થિતિ પર દેખરેખ રાખતા ઉપકરણો સહિતની નવી ઓફરિંગ અને ટેકનોલોજી રજૂ કરી હતી.
આ સમિટે DAE, NPCIL, IAEA અને નાગરિક અણુ ક્ષેત્રની અન્ય ખાનગી કંપનીઓના વરિષ્ઠ અણુ વ્યાવસાયિકોને એકત્ર કર્યા હતા. બે દિવસના કાર્યક્રમમાં થયેલી પરિષદ ઉપરાંત 'B2B મિટિંગ સર્વિસિસ' દ્વારા 7મી આવૃત્તિ ચિહ્નિત કરવામાં આવી હતી, જેણે આ સમુદાયને ચર્ચા, સાથે મળીને કાર્ય કરવા અને કારોબાર હાથ ધરવા માટે ઉદ્યોગ મંચ પૂરું પાડ્યું છે.
UBM ઈન્ડિયા અંગેઃ
UBM ઈન્ડિયા પ્રદર્શનનું આયોજન કરતી ભારતની અગ્રણી કંપની છે, જે ઊદ્યોગને પ્રદર્શનના પોર્ટફોલિયો, કન્ટેન્ટ આધારિત સભા અને પરિષદ મારફતે વિશ્વભરના ખરીદદાર અને વેચાણકર્તાઓને એક સાથે લાવવા માટે મંચ પૂરું પાડે છે. UBM ઈન્ડિયા દર વર્ષે દેશભરમાં મોટા પાયે 25થી વધુ પ્રદર્શન અને 40 સભાઓનું આયોજન કરે છે, જે બહુવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વેપારને સક્ષમ બનાવે છે. UBM એશિયા કંપની UBM ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ધરાવે છે, જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયેલી છે. UBM એશિયા એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત અને મલેશિયામાં અગ્રણી વાણિજ્ય આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
મિડિયા સંપર્કઃ
જિનેશ ઝવેરી
9930375209
[email protected]
મ્યુચ્યુઅલ પીઆર
પ્રિયા બાદશાહ
[email protected]
+91 22 61727000
UBM ઇન્ડિયા
Share this article