ચેન્નાઈ, August 21, 2015 /PRNewswire/ --
દક્ષિણ ભારતનો વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્યનો એકમાત્ર ટ્રેડ શો
યુબીએમ ઇન્ડિયાએ આજે ચેન્નાઈ ટ્રેડ સેન્ટરમાં બે દિવસીય (20 અને 21મી ઓગસ્ટ, 2015) સેફ્ટી શો ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (ઓએસએચ) ઇન્ડિયા-ચેન્નાઈની બીજી એડિશન લોંચ કરી હતી. આ શો ઉદ્યોગ મંચ પર કાર્યસ્થળે સલામતી અને સ્વાસ્થ્યમાં પ્રવર્તમાન સમસ્યાઓનું સમાધાન કરવા વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સોલ્યુશનની ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય સ્તેર જાણીતા પ્રદર્શકો, કન્સલ્ટન્ટ્સ, વ્યાવસાયિક નિષ્ણાતો અને ભારત સરકારના મહત્ત્વપૂર્ણ અધિકારીઓને એક મંચ પર લાવ્યો છે. ઓએસએચ ઇન્ડિયા 2015નું ઉદ્ઘાટન ભારત સરકારના પરમાણુ ઊર્જા નિયમન બોર્ડ (એઇઆરબી)ના વાઇસ ચેરમેન
શ્રી આર. ભટ્ટાચાર્ય; ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના વિભાગ ડિરેક્ટોરેટ જનરલ ફેક્ટરી એડવાઇઝ સર્વિસ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ (નિવૃત્ત) શ્રી જી.એમ.ઇ.કે. રાજ; વિલિયમસન-ડિકી મેનુફેક્ચરિંગ કંપનીના માર્કેટિંગ અને આંતરરાષ્ટ્રીય વેચાણ વિભાગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી માઇકલ પેન અને યુબીએમ ઇન્ડિયાના સીનિયર ડિરેક્ટર શ્રી રવિ સાનેજાની ઉપસ્થિતિમાં થયું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150820/10128946 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150810/10128411)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
સમગ્ર ઉદ્યોગમાંથી સહભાગી થયેલા અગ્રણી પ્રદર્શકોએ ઓએસએચ ઇન્ડિયાની ઉદ્યોગ મંચ તરીકેની જરૂરિયાતની પુષ્ટિ કરી હતી. તેમાં ડિકીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડ્રેગર સેફ્ટી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હનીવેલ સેફ્ટી પ્રોડક્ટ, ઇ.આઈ. ડુપોન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કરમ ઇન્ડસ્ટ્રીઝ, બાટા ઇન્ડિયા લિમિટેડ, એકમે સેફ્ટી વેર્સ લિમિટેડ, એસન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વીનસ સેફ્ટી એન્ડ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, ઉદ્યોગી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, લાઇફગીઅર સેફટેક પ્રાઇવેટ લિમિટેડ, રેસ્પો પ્રોડક્ટ્સ, શ્યોર સેફ્ટી જેવી કંપનીઓ સામેલ હતી.
ભારત સરકારના પરમાણુ ઊર્જા નિયમન બોર્ડ (એઇઆરબી)ના વાઇસ-ચેરમેન શ્રી આર. ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, "સલામતી અને સ્વાસ્થ્ય ઉત્પાદકતા પર હકારાત્મક અસર ધરાવે છે, જે દેશના આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરી જાય છે. સલામતી અને સ્વાસ્થ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ભાતમાં કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા વર્ષ 2009માં કાર્યસ્થળે સલામતી, સ્વાસ્થ્ય અને વાતાવરણ પર રાષ્ટ્રીય નીતિનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ઓએસએચ ઇન્ડિયા સલામતી ક્ષેત્રના વ્યાવસાયિકોને ભારતીય સલામતી ક્ષેત્રના માંધાતાઓ સાથે જ આદાનપ્રદાન કરવાની વિશિષ્ટ તક અને મંચ પ્રદાન કરતો નથી, પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના દિગ્ગજો પાસેથી જાણકારી મેળવવાની સુવિધા પણ સુલભ કરે છે, જેમણે વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય પર તાજેતરમાં વિકસાવવામાં આવેલી કુશળતા પર આપણી સમજ વિકસાવવામાં મદદ કરી છે."
યુબીએમ ઇન્ડિયાના સીનિયર ડિરેક્ટર શ્રી રવિ સાનેજાએ વધુ સમજાવતાં કહ્યું હતું કે, "પસંદગીના દેશોમાં સલામતીના ઊંચા ધારાધોરણો લાંબા ગાળાની નીતિઓ અને ત્રિપક્ષીય સામાજિક સંવાદ અને કડક શ્રમ ચકાસણીઓનું પરિણામ છે, જેને અસરકારક સ્વાસ્થ્ય અને સલામતીના કાયદાનું પીઠબળ પ્રાપ્ત છે. ભારતમાં વૃદ્ધિ પામતા બજાર અને સામૂહિક કાર્યદળની જરૂરિયાત સાથે સલામતી અને સ્વાસ્થ્યના મહત્ત્વનો અમલ કરવો અને તેને ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે. યુબીએમ ઇન્ડિયાનું ઓએસએચ ઇન્ડિયા 2015 પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ આ ઝડપથી વૃદ્ધિ પામતા બજારની જરૂરિયાતો પૂર્ણ કરવા સ્વાસ્થ્ય અને સલામતી ઉદ્યોગને એક મંચ પર લાવવાનો છે."
વિલિયમસન ડિકીના ઉત્તર અમેરિકાની કામગીરીના પ્રેસિડન્ટ માઇક બિનીએ કહ્યું હતું કે, "તમામ વિસ્તારોમાં સલામત, પ્રમાણભૂત વર્કવેર (કાર્યવસ્ત્ર)નું મહત્ત્વ વધુને વધુ લોકો સમજી રહ્યાં હોવાથી વૈશ્વિક સ્તરે વર્કવેરનું મહત્ત્વ ઝડપથી વધી રહ્યું છે. ચાલુ સરકારે વિવિધ નવી પહેલ હાથ ધરતા ભારતમાં મોટા પાયે વૃદ્ધિની શક્યતા છે. આ વૃદ્ધિને અસરકારક બનાવવા આપણે વ્યાવસાયિક સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને શરૂઆતથી કર્મચારીઓની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતી કામગીરી હાથ ધરવી જોઈએ. તેમાં વર્કવેર પણ સામેલ હશે, કારણ કે દરેક ઉદ્યોગ માટે યોગ્ય વસ્ત્રો સલામતી અને અનુકૂળતા સુનિશ્ચિત કરે છે. વૈશ્વિક સ્તરે વર્કવેર વસ્ત્રોમાં અગ્રણી તરીકે અમે ભારતમાં ઉત્પાદન, હેલ્થકેર, હોસ્પિટાલિટી અને સેફ્ટી વેર એમ દરેક ક્ષેત્રમાં દરેક કામદાર યોગ્ય વસ્ત્રો ધારણ કરે તે માટે અભિયાન શરૂ કરવા આતુર છીએ. આ માટે હિતધારકો પહેલ કરે અને વ્યાવસાયિક જોખમો ઘટાડવામાં મદદ કરે તે અતિ મહત્ત્વપૂર્ણ છે. અમે ડિકી ખાતે ઓએસએચ ઇન્ડિયા 2015માં આ પહેલને સમર્થન આપીએ છીએ અને વર્તમાન અને ભવિષ્યના ઉદ્યોગો માટે વૈશ્વિક કક્ષાના વર્કવેર પ્રદાન કરીશું."
ઓએસએચ ઇન્ડિયાની બે દિવસીય પરિષદમાં સમગ્ર દેશ અને અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીના નિષ્ણાતો દ્વારા વ્યાવસાયિક સલામતીનો મુદ્દો મુખ્યત્વે ચર્ચાયો હતો, જ્યારે પરિષદમાં વિશ્વની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અને ઉદ્યોગના પડકારોના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં 'સલામતીમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા તરફની સફરઃ નેતૃત્વની ભૂમિકા ચાવીરૂપ', 'સલામતીના સાધારણ પડકારોને ઝીલવા જોડાણ', 'અકસ્માત નિવારણ માટે સંકટની ઓળખ અને જોખમની આકારણી', 'વ્યાવાસયિક સ્વાસ્થ્ય સંબંધિત જોખમનું વ્યવસ્થાપન અને ધારાધોરણોનો વિકાસ' અને 'નિર્માણમાં સલામતી - કામકાજનું સલામત વાતાવરણ સલામત વર્તણૂંક'થી લઈને કંપનીના નફા પર સલામતી અન ટકાઉક્ષમતા કેવી રીતે હકારાત્મક અસર કરે છે સામેલ હતા.
સમિટમાં જાણીતી વક્તાઓ સામેલ થયા છે, જેમાં તમિળનાડુ સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ડિરેક્ટોરેટ, ચેન્નાઈ રિજનના એડિશનલ ડિરેક્ટર શ્રી એમ. સી. સંબનાથમ; ટાટા મોટર્સ લિમિટેડના હેડ - ટકાઉક્ષમતા, સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણ વિભાગના ગ્લોબલ હેડ અરવિંદ બોઢાનકર; લાર્સન એન્ડ ટૂબ્રો લિમિટેડના હેવી સિવિલ ઇન્ફ્રા આઇસીના હેડ ઇ.એચ.એસ. શ્રી સ્ટીફન ફિલિપ સ્ટોરે; ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડના કન્સલ્ટન્ટ સેફ્ટી શ્રી એસ. વીરમણી; એમકમ્પ્લાય ટેકનોલોજીસ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ/અર્નેડ (ErND) સોલ્યુશન્સ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડના સી.ઇ.ઓ. અને સહસ્થાપક શ્રી જે. સી. સેકર; હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના સીનિયર મેનેજર સેફ્ટી શ્રી કે. એસ. એનિમોન; ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીનિયર એન્જિનીયર (સલામતી, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગુણવત્તા) ડો. કે. મમાલ્લન; ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના હેડ (ફાયર એન્ડ સેફ્ટી) શ્રી સુનિલ ચૌધરી; જી.એમ.આર. પાવર કોર્પોરેશન લિમિટેડના સેફ્ટી ઓફિસર શ્રી સોની જ્યોર્જ; ટી. ટી. એસેમ્બલી ઇન્ડિયા અને ટોયોટા ત્સુશો કોર્પોરેશન, જાપાનના ઓપરેશન હેડ ડો. એસ. શ્રીધરન સામેલ છે.
યુબીએમ ઇન્ડિયા વિશે:
યુબીએમ ઇન્ડિયા ભારતમાં વેપારી પ્રદર્શનની અગ્રણી આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
પ્રિયા બાદશાહ
[email protected]
અન્જલિના પ્રધાન
[email protected]
+91-11-66517646
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article