ચેન્નાઈ, August 11, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇન્ડિયા દ્વારા દક્ષિણ ભારતનો એકમાત્ર ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેડ શો
યુબીએમ ઇન્ડિયાએ ચેન્નાઈમાં ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (ઓએસએચ) ઇન્ડિયાની બીજી એડિશન લોંચ કરવાની જાહેરાત કરી હતી. ચેન્નાઈ ટ્રેડ સેન્ટરમાં 20 અને 21મી ઓગસ્ટના રોજ આયોજિત એક્સ્પોનો હેતુ તમામ ઉદ્યોગના વ્યાવસાયિકોને વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતી ઉદ્યોગમાં ગુણવત્તાયુક્ત સોલ્યુશન્સ માટે વૈશ્વિક અને સ્થાનિક સપ્લાયર્સ, સલામતી નિષ્ણાતો, સલાહકારો, ઉત્પાદકો અને વિતરકો સાથે આદાનપ્રદાન કરવા પ્લેટફોર્મ પ્રદાન કરવા મંચ પ્રદાન કરવાનો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150810/10128411 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
શોના અગ્રણી સહભાગીઓમાં ડિકિઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડ્રેગર સેફ્ટી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હનીવેલ સેફ્ટી પ્રોડક્ટ, ઇ. આઇ. ડુપોન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કરમ ઇન્ડસ્ટ્રીઝ, બાટા ઇન્ડિયા લિમિટેડ, એકમી સેફ્ટી વેર્સ લિમિટેડ, એસન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વીનસ સેફ્ટી એન્ડ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, ઉદ્યોગી પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, લાઇફગીઅર સેફટેક પ્રાઇવેટ લિમિટેડ, રેસ્પો પ્રોડક્ટ્સ, શ્યોર સેફ્ટી સહિત અન્ય કંપનીઓ સામેલ છે.
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "અસલામત કાર્યસ્થળોમાં વધી રહેલી દુર્ઘટનાઓ સાથે વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક સલામતી માટેની વધેલી જાગૃતિ અને જરૂરિયાતથી ભારતીય ઉદ્યોગોમાં પણ વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીની પૂર્તતાનું મહત્ત્વ વધ્યું છે. ઉપરાંત ક્ષેત્રમાં બહુરાષ્ટ્રીય રોકાણમાં વૃદ્ધિ થવા સાથે અને સરકારોએ માળખાગત સુવિધાઓ વિકસાવવા અને કાર્યસ્થળોમાં સલામતી પ્રદાન કરવા પર ભાર મૂકતા અત્યાર સુધી વણખેડાયેલા અને ઊંચી સંભવિતતા ધરાવતા, વિશાળ ભારતીય બજારમાં પોતાની નવીનતાઓ અને માહિતી પ્રદર્શિત કરવા સમગ્ર દુનિયામાંથી સ્વાસ્થ્ય અને સલામતી સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓ માટે તકો ઊભી થઈ છે. ઓએસએચ ઇન્ડિયાએ ક્ષેત્રમાં સપ્લાય ચેઇનને મજબૂત કરવાની સાથે આ વ્યવસાય કરવા બજારમાં પ્રવેશ કરવાની તકો સફળતાપૂર્વક પ્રદાન કરી છે."
ઓએસએચ ઇન્ડિયાની આ બે-દિવસીય પરિષદમાં સમગ્ર દેશ અને અગ્રણી આંતરરાષ્ટ્રીય કંપનીઓના નિષ્ણાતો દ્વારા વ્યાવસાયિક સલામતીના મુદ્દા પર ધ્યાનમાં લાવવામાં આવશે, ત્યારે તેની સાથે સાથે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ કામગીરીઓ અને ઉદ્યોગોના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. પરિષદમાં ચર્ચાના મુદ્દા 'સલામતીમાં ઉત્કૃષ્ટતા તરફ સફરઃ નેતૃત્વ સંબંધિત બાબતો', 'સામાન્ય સલામતી સંબોધવા સમજૂતી', 'જોખમની ઓળખ અને દુર્ઘટના નિવારણ માટે જોખમ આકારણી', 'આગ નિવારણ અને જીવન સલામતી', 'નિર્માણ સલામતી - સલામત કાર્યકારી વાતાવરણ સંચાલિત સલામત વર્તણૂંક', 'વ્યાવસાય સાથે સંબંધિત સ્વાસ્થ્યના જોખમનું વ્યવસ્થાપન અને ધારાધોરણોનો વિકાસ, કંપનીના નફા પર સલામતી અને ટકાઉતા કેવી રીતે હકારાત્મક અસર કરે છે' જેવા વિષયો પર ચર્ચા થશે.
પરિષદમાં પ્રસિદ્ધ વક્તાઓમાં તમિળનાડુ સરકારના ઉદ્યોગ સલામતી અને સ્વાસ્થ્ય ડિરેક્ટોરેટ, ચેન્નાઈ રિજનના અધિક નિર્દેશક શ્રી એમ. સી. સંબાન્થમ; ટાટા મોટર્સ લિમિટેડના ટકાઉપણું, સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણ વિભાગના વૈશ્વિક વડા અરવિંદ બોધાન્કર; લાર્સન એન્ડ ટૂબ્રોના હેવી સિવિલ ઇન્ફ્રા આઇસી વિભાગના વડા શ્રી સ્ટીફન ફિલિપ સ્ટોરે; ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડિરેક્ટોરેટ (ઓઆઇએસડી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી હિરક દત્તા; ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડ (સીએમઆરએલ)ના સેફ્ટી કન્સલ્ટન્ટ શ્રી એસ. વીરમણી; એમકમ્પ્લાય ટેકનોલોજી સિંગાપોર પીટીઇ લિમિટેડ/ઇઆરએનડી સોલ્યુશન્સ સિંગાપોર પીટીઇ લિમિટેડના સીઇઓ અને સહસ્થાપક શ્રી જે. સી. સેકર; હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ના સીનિયર મેનેજર સેફ્ટી શ્રી કે. એસ. એનિમોન; ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીનિયર એન્જિનીયર (સલામતી સ્વાસ્થ્ય પર્યાવરણ અને ગુણવત્તા) ડો. કે મમાલ્લન; ફોક્સવેગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ફાયર અને સલામતીના વડા શ્રી સુનિલ ચૌધરી; જીએમઆર પાવર કોર્પોરેશન લિમિટેડના સેફ્ટી ઓફિસર શ્રી સોની જ્યોર્જ; ટી ટી એસેમ્બ્લી ઇન્ડિયા અને જાપાનના ટોયોટા સુશો કોર્પોરેશનના યુનિટના ઓપરેશન્સ વિભાગના હેડ ડો. એસ. શ્રીધરન સામેલ છે.
તમિળનાડુ સરકારના ઉદ્યોગ સલામતી અને સ્વાસ્થ્ય ડિરેક્ટોરેટ, ચેન્નાઈ રિજનના અધિક નિર્દેશક શ્રી એમ. સી. સંબાન્થમે કહ્યું હતું કે, "કાયદા દ્વારા નિયમનની રાહ જોયા વિના ઉદ્યોગ દ્વારા સલામતી અને સ્વાસ્થ્યના સ્વૈચ્છિક પ્રોત્સાહનને ભારતમાં શ્રમ ક્ષેત્રની સ્થિતિમાં ફેરફાર લાવવામાં લાંબી મજલ કાપવી પડશે. સલામતીના મજબૂત વાતાવરણને પ્રોત્સાહન આપવામાં તેમજ કર્મચારીઓના વ્યાવસાયિક સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવામાં સરકાર અને ખાનગી ઉદ્યોગસાહસો પ્રયાસરત છે અને આ તમામ પ્રયાસો ભારતની સફળતાની ગાથા અને મજબૂત સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે. ઉદ્યોગોએ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા માન્યતા ધરાવતા પ્રમાણભૂત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) અપનાવવા જોઈએ અને સલામત અને સ્વસ્થ કાર્ય વાતાવરણ માટે તેમનો અમલ કરવા કાર્ય કરવું જોઈએ."
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
અન્જલિના પ્રધાન
[email protected]
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172 7353
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article