હૈદરાબાદ, ભારત, June 12, 2015 /PRNewswire/ --
યુબીએમ ઈન્ડિયા દ્વારા આયોજિત હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (એચજેએફ)ની 8મી આવૃત્તિનું હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ગત વર્ષની આવૃત્તિની સરખામણીમાં આ વર્ષે સહભાગી પ્રદર્શકો અને મૂલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150611/10124759-c )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150611/10124759-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150611/10124759-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
તેલંગણા રાજ્યના માનનીય નાણાં મંત્રી શ્રી એટાલા રાજેન્દ્ર અને યુબીએમ ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે હૈદરાબાદ જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંજય ગુલાબાની, હાઈટેક સિટી જ્વેલર્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી મહેન્દ્ર તયાલ અને જ્વેલરી ઉદ્યોગના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.
ત્રણ દિવસ (5 જૂનથી 7 જૂન, 2015) માટે આયોજિત એચજેએફ 2015 ફેર સૌથી મોટા જેમ્સ એન્ડ જ્વેલરી બી2બી એક્ઝિબિશન પૈકી એક બની રહ્યો હતો જેમાં 150થી પણ વધુ જ્વેલરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, આયાતકારો, નિકાસકારો, હીરા અને રત્નોના પુરવઠાકારો તેમજ વ્યાપારજગત અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ ફેરમાં હૈદરાબાદ અને આસપારના પ્રદેશોના અગ્રણી ઉત્પાદકોએ લોકપ્રિય એવા નિઝામ અને હૈદરાબાદી શૈલીના ઘરેણાંનું પ્રદર્શન કર્યું હતું. આ ફેરમાં વરાંગલ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, નેલ્લોર, નિઝામાબાદ અને દક્ષિણ ભારતના અન્ય પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
હૈદરાબાદની બહારના પ્રદેશોના 110થી વધુ પ્રદર્શકો સહભાગીતા સાથે એચજેએફે દક્ષિણ ભારતના ઘરેણાંના બજારમાં પ્રવેશમાર્ગ તરીકેનો કિર્તીમાન જાળવી રાખ્યું છે. તે ખરીદદારો અને પુરવઠાકારોને જોડવા, વિચારોનું આદાન-પ્રદાન કરવા, આગામી વલણોથી માહિતગાર કરવા અને કારોબારી તકો ઉભી કરવા માટેનું ઔદ્યોગિક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. આ ફેર ખાતે પ્રદર્શકોએ હીરા, મોતી, રત્નો, જડેલા ઘરેણાં, દક્ષિણ ભારતના ઉત્કૃષ્ટ સોનાના ઘરેણાં સહિત કુંદન અને નકાશ ઘરેણાંના પરંપરાગત અને પ્રાચીન સંકલનનોની વ્યાપક પ્રમાણમાં પ્રોડક્ટ્સ દર્શાવી હતી. ઉત્પાદન પ્રક્રિયા તેમજ અન્ય સંબંધિત પ્રોડક્ટ્સ અને સેવાઓના ઉપયોગમાં થતી નવીન સાધનસામગ્રી પણ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
યુબીએમ ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "યુબીએમ ઈન્ડિયાએ તાજેતરમાં ડીએન્ડબી સાથે કરેવા અભ્યાસ અનુસાર 2014માં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગે ભારતના જીડીપીમાં 6-7%નું યોગદાન આપ્યું હતું. ભારત વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલા જેમ અને જ્વેલરી બજારોમાં સ્થાન ધરાવે છે અને દક્ષિણ ભારત સૌથી મોટું બજાર છે. આપણો ઘરેણાંનો સંગઠીત છૂટક વ્યાપાર હજુ પણ અવિકસિત અવસ્થામાં છે ત્યારે વિકાસ માટેની તકો અમર્યાદિત છે. ઘરેણાંમાં નવીન ડિઝાઈન અને વિવિધતાની માગ વધી રહી હોવાથી આ ક્ષેત્રના ગ્રાહકોની પસંદગીમાં પરિવર્તન આવી રહ્યું છે. એચજેએફ આ ઉદ્યોગજગતની માગ અને તેના સહભાગી પ્રદર્શકો તથા મુલાકાતીઓ માટેના પુરવઠા વચ્ચેનું અંતર ઘટાડવા માટેની સારી સમજ ધરાવે છે અને આ પ્રદર્શન આગળ પણ ઉદ્યોહજગતની જરૂરીયાત સંતોષવાનું ચાલુ રાખશે. જ્વેલરીના વેપારીઓને કારોબાર સાથે જોડાવા અને ઉભું કરવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવા માટે યુબીએમ ઈન્ડિયા સતત પ્રયત્નશીલ રહે છે અને આમ ભારતમાં ઉદ્યોગજગતની વિશાળ જરૂરીયાતોને સંતોષે છે. હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર ઘણાં વર્ષોથી આ પ્રદેશમાં વ્યાપાર માટે ઔદ્યોગિક સીમાચિહ્ન બન્યું છે અને ભારતભરના બજારો માટે દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર બની રહેશે. યુબીએમ ઈન્ડિયા એચજેએફની 8મી આવૃત્તિની સફળતાનો શ્રેય તેલંગણા અને આંધ્રપ્રદેશના તમામ સહભાગી પ્રદર્શકો અને જ્વેલરી એસોસિએશન્સની સાતત્યપૂર્ણ ભાગીદારીને આપે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં મુલાકાતીઓની સંખ્યામાં થયેલો વધારો આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પુરે છે."
તેલંગણા અને આંધ્રપ્રદેશ જ્વેલર્સ એસોસિએશન વચ્ચેની સંયુક્ત વાર્ષિક સામાન્ય બેઠક માટેનું પસંદગીનું પ્લેટફોર્મ હતું. આ બેઠક બાદ યુબીએમ ઈન્ડિયાએ વર્ષોથી આ રાજ્યોમાં જ્વેલરીના કારોબારમાં યોગદાન આપનારા ચોક્કસ જ્વેલર્સનું સન્માન કર્યું હતું.
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર 100 ગ્લોરીયસ યર્સ ઓફ કન્ટ્રિબ્યુશન: શ્રી ગોપાલ રાવ, શ્રી વેન્કટા રમના જ્વેલરી, વિઝિનગરમ પાર્વતિપુરમ
એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ઓફ 80 ગ્લોરિયસ યર્સ: શ્રી ઈરફાન ખાન, મેનેજિંગ ડિરેક્ટર, મોહમ્મદ ખાન એન્ડ સન જ્વેલર્સ, ગુન્ટુર
એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ઓફ 70 ગ્લોરિયસ યર્સ: શ્રી બી. મહેશ, યોગેશ ભવાનાશી વેન્કટા સુબૈયાહ ચેરી એન્ડ સન્સ, કુર્નૂલ નન્દ્યાલ
અગ્રણી પ્રદર્શકો: જય ગુલાબ જ્વેલર્સ, ક્રિઝ, ભિંડિ જ્વેલર્સ, ચિંતામણી ગોલ્ડ, એન ડી ડાયમંડ્સ પ્રા. લિમિટેડ, થર્મો ફિશર સાયન્ટિફિક ઈન્ડિયા પ્રા. લિમિટેડ, લક્ષ્મી ડાયમંડ્સ, એમરાલ્ડ જ્વેલર્સ, ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા લિમિટેડ, ફિશર મીઝરમેન્ટ ટેકનોલોજીસ, મીનાક્ષી જ્વેલર્સ, હરી ક્રિષ્ના એક્સપોર્ટ્સ અને ઉદ્યોગજગતની નામાંકિત કંપનીઓ.
હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર 2015ને દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ જ્વેલરી એસોસિએશન્સે સહયોગ આપ્યો હતો, જેના નામ આ પ્રમાણે છે: એપી ગોલ્ડ સિલ્વર એન્ડ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, સીકંદરાબાદ જ્વેલર્સ એસોસિએશન, નર્સારાઓપેટ જ્વેલર્સ એસોસિએશન, ઈસ્ટ ગોદાવરી જ્વેલર્સ એસોસિએશન એન્ડ વેસ્ટ ગોદાવરી જ્વેલર્સ એસોસિએશન, ગુન્ટુર જ્વેલર્સ એસોસિએશન.
વિજયા કુમાર, પ્રેસિડેન્ટ, નર્સારાઓપેટ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ વિજયાકુમારે જણાવ્યું હતું કે, "દર વર્ષે એચજેએફનું આયોજન કરવાના યુબીએમ ઈન્ડિયાના પ્રયાસોની અમે ખરેખર સરાહના કરીએ છીએ. આયોજન ટીમ તમામ આયાતકારો, નિકાસકારો, વિતરકો અને અન્ય વેલ્યુ ચેઈન કંપનીઓની જરૂરીયાતોને સમજે છે અને આવા કાર્યક્રમ થકી અમને રીટેઈલર્સને અમારી પ્રોડક્ટ દર્શાવવામાં મદદ મળે છે."
એચજેએમએના પ્રેસિડેન્ટ મહેન્દ્ર તયાલે જણાવ્યું હતું કે, "યુબીએમ ઈન્ડિયાનું એચજીએફ ગ્રાહકો સમક્ષ નવીન ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટેનું ઔદ્યોગિક કંપનીઓ માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. દર વર્ષે યોજાતા સફળ કાર્યક્રમો પૈકી તે એક છે જે આ પ્રદેશમાં રીટેઈલર્સ સાથે મોટા પાયે ટ્રેડર્સને જોડે છે. મુલાકાતીઓ તરફથી અમે પ્રોત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે અને અમને આશા છે કે ગત આવૃત્તિની જેમ તેની 8મી આવૃત્તિ પણ સફળ રહેશે."
છેલ્લા ત્રણ દાયકાથી યુબીએમ જ્વેલરી ઉદ્યોગને એક અભિન્ન ભાગ છે જે વિશ્વભરમાં સમાન પ્રકારના પ્રતિષ્ઠિત જ્વેલરી ફેર્સનું આયોજન કરે છે. એચજેએફ પાંચ શહેરો (કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી અને ગુજરાત)માં યોજાતા જ્વેલરી શો પૈકી એક છે જ્યાં યુબીએમ ઈન્ડિયા સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરે છે. વધુ માહિતી માટે અને નોંધણી કરવા માટે કૃપયા http://www.jewelleryfair.in ની મુલાકાત લો.
યુબીએમ ઈન્ડિયા વિશે
યુબીએમ ઈન્ડિયા ભારની અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગજગતને એવું પ્લેટફોર્મ પુરુ પાડે છે કે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એક્ઝિબિશન્સ, કન્ટેન્ટ આધારીત પરિસંવાદ અને સંમેલનોના પોર્ટફોલિયો મારફત એક પ્લેટફોર્મ પર લાવે છે. યુબીએમ ઈન્ડિયા દર વર્ષે 25થી વધુ મોટા પાયાના એક્ઝિબિશન્સ અને 40 સંમેલનોનું આયોજન કરે છે અને તેમ કરીને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં વ્યાપારની તકો પુરી પાડે છે. યુબીએમ એશિયા કંપનીની શાખા યુબીએમ ઇન્ડિયાની મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈ ખાતે ઓફિસો છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસી ધરાવે છે કે જે લંડન સ્ટોક એક્સચેંજ ખાતે લિસ્ટેડ છે. યુબીએમ એશિયા એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરી મુલાકાત લો http://www.ubmindia.in/
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91 (0) 22-61727353,
યુબીએમ ઈન્ડિયા પ્રા. લિમિટેડ
હરિ પ્રસાદ
[email protected]
+91-9618883774
Share this article